તબેલા લોન યોજના Tabela Sahay ગુજરાત 2026| ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ગુજરાતના લોકો માટે ઘણી બધી સ્વરોજગાર યોજના ચલાવવામાં આવે છે, જેવી કે પશુ આહાર યોજના, બ્યુટી પાર્લર સહાય, સ્માર્ટફોન સહાય યોજના, કુંવરબાઈનું મામેરૂ યોજના, આવાસ યોજના, કૃષિ સહાય યોજના, ફ્રી સિલાઇ મશીન યોજના, જેવી ઘણી બધી યોજનાઓ ગુજરાતમાં Aadijati Gujarat તરફથી ચલાવવામાં આવે છે.
ગુજરાતમાં રહેતા પશુપાલકો માટે ખુશીના સમાચાર. ગુજરાતમાં રહેતા પશુપાલકો માટે અને ખેડૂતો માટે Tabela Sahay શરૂ કરવામાં આવી છે. ખેડૂતોને તબેલા સહાય યોજના હેઠળ તેમની ગાયો અને ભેંસો માટે તબેલા બનાવવા માટે લોન મળશે.
અને જો તમારે ખેતરને લગતી માહિતી જેવી કે 7/12 8A કઈ રીતે કાઠવુ, 7/12 ડિજિટલ ઉતારો કઈ રીતે કાઠવા?, ઘરે બેઠા જમીન માપણી કેલ્કયુલેટર, Ikhedut portal પર હાલમાં ચાલી રહેલ યોજનાઓ, ઑનલાઇન જમીન નકશો કેવી રીતે જોવો?, જમીનના સર્વેનંબર ઓનલાઈન કઈ રીતે જોઈ શકાય?, મફતમાં જમીન માપણી કઈ રીતે કરવી?વગેરે જેવી અનેક માહિતી જોઈતી હોય તો bhumiyo.in વેબાઈટમાં પર જલ્દી જાવ અને તેની વિજીત કરો.
Tabela Loan 2026 Details
| યોજનાનું નામ | Tabela Sahay 2026: તબેલા લોન યોજના ગુજરાત 2026 |
| લેખની ભાષા | ગુજરાતી અને અંગ્રેજી |
| યોજનાનો હેતુ | ગુજરાતના આદિજાતિના લાભાર્થીઓને સ્વ-રોજગાર યોજના હેઠળ તબેલાના હેતુ માટે લોન આપીને જીવનધોરણ સુધી લાવી શકાય અને પગભર કરી શકાય. |
| લાભાર્થી | ગુજરાતના આદિજાતિના ઈસમો |
| યોજના હેઠળ લોનની રકમ | આ યોજના હેઠળ લાભાર્થીને ₹4,00,000 સુધીની લોન આપવામાં આવે છે. |
| લોન પર વ્યાજ દરો | 4 પશુઓ માટે આશરે ₹70,000 | પશુઓની સંખ્યા મુજબ ₹1.32 લાખ સુધી |
| માન્ય વેબસાઈટ | https://ikhedut.gujarat.gov.in |
| અરજી કેવી રીતે કરવી | Click કરો |
Tabela Sahay યોજના 2026 મુખ્ય હેતુ
ગુજરાતમાં આદિજાતિ વિકાસ દ્વારા તબેલા લોન યોજના શરૂ કરવામાં આવેલી છે. ગુજરાત રાજ્યમાં આવેલા અનુસૂચિત જનજાતિના એટલે કે (ST) વર્ગના લોકો તેમજ બહારની સંસ્થાઓ બેન્કો પાસેથી ઊંચા વ્યાજે લોન લેવી પડે તે માટે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ દ્વારા આ સહાય યોજના આપવામાં આવે છે. તે આ યોજના (Tabela Loan Yojana in Gujarati) નો મુખ્ય હેતુ છે. આ યોજનાનો લાભ લઇ ગુજરાતમાં રહેતા લોકો ઓછા વ્યાજ દરે લોન લઇ શકે છે, અને લોન લઇ ને તેઓ તેની મદદથી પશુઓને રહેવા માટે તબેલા બનાવી શકે છે.
Tabela Sahay મહત્વની તારીખો
ખેડૂત મિત્રોએ સ્વરોજગારી હેઠળ યોજનાનો લાભ લેવા માટે ikhedut portal પરથી ઓનલાઈન અરજી કરવાની રહેશે. અરજી કરવા માટેની ખુબ જ મહત્વની તારીખો નીચે મુજબ આપવામાં આવી છે. તો તે ખાસ કરીને વાંચવી.
ફોર્મ ચાલુ થવાની તારીખ: ઓગસ્ટ – સપ્ટેમ્બર 2026
ઉપર આપવામાં આવેલ તારીખ ખુબ જ મહત્વની છે. જો તમે લોકોએ હજુ ફોર્મ ભરિયું ના હોય, તો જલ્દી ભરી લો તેથી Tabela Sahay yojana નો લાભ તમને પણ મળી શકે.
તબેલા યોજના માપદંડ
તબેલા લૉન યોજનાનો લાભ લેવા માટે તેના કેટલાક માપદંડ નક્કી કરવામાં આવ્યા હોય છે જે માપદંડ નીચે મુજબ છે.
- અરજી કરનારનું જાતિનું પ્રમાણપત્ર
- જે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો માટે વાર્ષિક આવક ₹1,20,000 અને શહેરી વિસ્તારમાં રહેતા લોકો માટે ₹1,50,000 વાર્ષિક આવક હશે, તો તેમને આ યોજનાનો લાભ મળશે.
- લાભાર્થીએ જે હેતુ માટે ધિરાણની માંગણી કરેલ હોય તેની તાલીમ અથવા તો તે અંગેનો કોઈ અનુભવ હોય તો તેનું આધારભૂત પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે.
- જ્યારથી લોન મંજુર થાય ત્યારથી લોનની રકમના NSTFDC યોજના હેઠળ 5% અને સ્વરોજગારી યોજના હેઠળ 10% લાભ લેનાર વ્યક્તિએ ફાળો ભરવાનો રહશે. તેમજ વાહન માટેના અરજદારોને કોર્પોરેશન દ્વારા નિયત કરેલ એજન્સી દ્વારા વાહન પુરા પાડવામાં આવશે, જો અરજદાર પોતાની પંસદગીનું વાહન મેળવવા ઇચ્છતા હોય તો લોન સિવાયની રકમ લાભાર્થીએ ભરવાની રહેશે. અરજદાર જે વાહન મેળવવા માંગતા હોય તે માટે નિયત કરેલ વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ રજૂ કરવાનું રહેશે, અને કાચું ચલાવી લેવામાં આવશે નહિ.
- લાભાર્થીના કુટુંબના કોઇ સભ્યોએ આ યોજના અથવા કોર્પોરેશનની કોઇ પણ યોજના હેઠ્ળ કોર્પોરેશનમાંથી લોન લીધી હોય અને તે અન્વયે કોઇ પણ રકમ બાકી હોય તેવા ઇસમો લોન લેવાને પાત્ર ગણાશે નહી.
- અરજદાર જો લોન મેળવવા માંગતા હોય અને તેનું અરજી ફોર્મ ભરવાનું હોય તો તે માટે નું અરજી ફોર્મ કોર્પોરેશનની વેબસાઈટ પરથી ભરવાનું રહેશે. તથા અરજી મંજુર થય ગયા પછી જરૂરી દસ્તાવેજો જે-તે પ્રાયોજના કચેરીએ જમા કરાવવાના રહેશે.
- કોર્પોરેશનની જાહેરાતમાં જણાવવામાં આવેલ છે કે રીક્ષા, ટ્રેકટર, ઇકો ગાડી, વાન જેવા વાહનની લોન લેવા માંગતા અરજદારોએ પાકુ લાયસન્સ ફરજિયાત ધરાવતા હોય તેવા અરજદારની લોન મંજૂર કરવામાં આવશે. જો કોઈ વ્યક્તિ કાચુ લાયસન્સ ધરાવતા હશે તો તે ચલાવી લેવામાં આવશે નહિ.
- વધુ અધુરી વિગતો હશે અને તે અંગેની વિગતોવાળી દરખાસ્ત હશે તો કોઇ પણ સંજોગોમાં સ્વીકારવામાં આવશે નહી. તે માટે ફરીથી ચકાસણી કરવામાં આવશે નહી.
- અજરદારે કોઈ પણ એક હેતુ માટે જ લોન અરજી કરવાની રહેશે.
- અરજદારે માંગણી કરેલ લોન ફોર્મની વિગતો વાંચી લીધા પછી જરૂરિયાત મુજબની વિગતોમાં દર્શાવેલ ક્રમ-૧ થી ૮ તેમજ ક્રમ નં-૧૦ ની સંપૂર્ણ વિગતો અરજદારે ભરવાની રહેશે.
- લાભ લેનાર વ્યક્તિએ કોર્પોરેશને જે શરતો નક્કી કરી હશે તે અને નક્કી કરવામાં આવનાર તમામ શરતોનું પાલન કરવાનું રહેશે.
- અરજદારે જમીનની વિગતો રજુ કરવાની હોય છે, તે જમીનની વિગતો એક વખત રજુ થય ગયા પછી કોઈ પણ સંજોગોમાં બદલી શકાશે નહિ.
વ્યાજદર અને ફાળો
તબેલા લોન યોજનામાં વ્યાજદર કેટલો રહશે અને લાભ લેનાર વ્યક્તિને કેટલો ફાળો આપવાનો રહેશે, તેની વાત નીચે મુજબ કરવામાં આવી છે.
- રૂપિયા 4 લાખ નું ધિરાણ મળશે.
- ધિરાણનો લાભ લેવા ઈચ્છતા વ્યક્તિને ધિરાણના ૧૦% ફાળો ભરીને તે રીતે ધિરાણનો લાભ લેવાનો રહેશે.
- નવો વ્યવસાય ચાલુ કરવા માટે વાર્ષિક 4 ટકાના દરે ધિરાણ ભરવાનું હોય છે.
- લોન પરત ચૂકવવાની હોય છે અને જો તે લૉન ચુકવવામાં વિલંબિત થશે તો 2% દંડનીય રહેશે.
- અને તબેલા માટેની લોનની પરત ચુકવણી કરવા માંગતા હોય તો તે 20 ત્રિમાસિક હપ્તામાં કરવાની રહેશે.
- અરજદાર પાસે આ લોન માટે સગવડ હોય તો અરજદાર લોન લીધા બાદ જે સમય નક્કી કરવામાં આવ્યો હોય તે સમય કરતા પહેલા પણ લોનની ભરપાઈ કરી શકે છે.
Tabela Sahay Yojana 2026 Documents
તબેલા લોન યોજના માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ જોશે તેની વિગતો નીચે મુજબ આપવામાં આવી છે.
- અરજદારના આધાર કાર્ડની નકલ
- અરજદારનો જાતિનો દાખલો
- પશુઓના ટેગ નંબર
- બેન્ક પાસબુક
- અરજદારે જે રજૂ કરેલ હોય તે મિલકતનો પુરાવો (૭/૧૨ તથા ૮-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ) (તાજેતરનો તથા બોજા વગરનો)
- જામીનદાર-1 નો (૭/૧૨ તથા ૮-અ અથવા મિલકત અંગેનો સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ અને પ્રોપર્ટી કાર્ડ)
- જામીનદાર-2 નો (૭/૧૨ તથા ૮-અ અથવા મિલકત અંગેનો સરકાર માન્ય વેલ્યુએશન રિપોર્ટ અને પ્રોપર્ટી કાર્ડ)
તબેલા લોન યોજના 2026 ઑનલાઇન અરજી કેવી રીતે કરવી
અનુસુચિત જન જાતિના (S.T.) લોકોના વિકાસ માટે આ યોજના આદિજાતિ વિભાગ દ્વારા કામ કરે છે. આ યોજના દ્વારા S.T. જ્ઞાતિના નાગરિકો જો તબેલા બનાવવા માગતા હોય તો તેના માટે ધિરાણ આપવામાં આવે છે. તબેલા લૉન યોજનાનો લાભ લેવા માટે ઓનલાઈન અરજી ફોર્મ પડતું હોય છે. આ યોજનાનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેની વિગતવાર માહિતી નીચે મુજબ આપવામાં આવી છે. જે માહિતી નીચે મુજબ છે.
- સૌથી પહેલા Google Search ખોલવાનું રહેશે પછી તેમાં“Adijati Nigam Gujarat” લખવાનું રહેશે.

- ત્યાં લખિયા બાદ Adijati Vikas Vibhag Gujarat” ની અધિકૃત વેબસાઈટ ખૂલશે.
- હવે તમને Home Page પર ”Apply for Loan” નામનું બટન મળતું હશે તેના પર ક્લિક કરી તે ખોલવાનું રહેશે.
Sing Up | Tabela Sahay Yojana 2026
- ત્યારબાદ “Gujarat Tribal Development Corporation” નામનું નવું Page જોવા મળશે તે ખોલો.
- જો તમે પથમ વખત જ “Tabela Loan Apply” કરતા હશો તો “”Sing Up” પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર પછી તમારે Personal ID બનાવવા માટે તમારી ખુદની (વ્યક્તિગત) માહિતી ભરવાની રહેશે.
- બધી જ ખુદની (વ્યક્તિગત) માહિતી ભરી લીધા પછી કેપ્ચા કોડ નાખવાનો રહેશે તે નાખ્યા બાદ “Sing Up” બટન પર ક્લિક કરવાનું રહેશે.

Application login
- તમને ઉપર જણાવ્યા મુજબ તમે Personal Login બનાવ્યા પછી “Login here” માં પોતાના Login ID અને Password નાખી Login In કરવાનું રહેશે.
- તમે પોતાનું વ્યક્તિગત પેજ લોગીન કર્યું હશે તે થઈ ગયા પછી “My Applications” માં “Apply Now” બટન પર ક્લિક કરો.
- Apply Now પર ક્લિક કર્યા બાદ ઘણી બધી યોજનાઓ ઓનલાઈન જોવા મળશે. જેમાંથી તમારે “Self Employment” નામના બટન પર ક્લિક કરવાનું રહેશે.
- હવે તમારા દ્વારા “Self Employment” પર ક્લિક કર્યા પછી ત્યાં તમને શરતો આપેલી જોવા મળશે તે શરતો ને ધ્યાનપુર્વક વાંચવાની રહેશે. તે વાંચી લીધા પછી “Apply Now” પર ક્લિક કરવાનું રહેશે.
My Application
- Apply Now કર્યા બાદ તમારે “”My Application” નું ઓપ્શન જોવા મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- લાભાર્થીએ પોતાની Application Information ઓનલાઈન ભરતી વખતે અરજીની વિગતો, અરજદારની મિલકતની વિગતો, લોનની વિગતો, જામીનદારની વિગતો વગેરે માગ્યા મુજબ નાખવાની રહેશે.
- બધી જ વિગતો ભરી લીધા પછી તમને યોજનાની પસંદી કરવાનું કહેશે તે યોજનાની પસંદગીમાં “તબેલા માટેની લોન યોજના” પસંદ કરીને તેની આગળની કોલમમાં લોનની રકમ ભરવાની રહેશે.
- તમે નક્કી કરેલા જામીનદારની મિલકતન અંગેની વિગત, બેંક એકાઉન્ટ અંગેની વિગત, અને તમને માંગ્યા મુજબના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.

- તમામ વિગતો ઓનલાઈન ભર્યા પછી ફરીથી એક વખત ચકાસણી કર્યા બાદ જ એપ્લિકેશન સેવ કરવાની રહેશે.
- સૌથી છેલ્લે તમે કન્ફર્મ કરેલી અરજીનો એપ્લિકેશનનો નંબર જનરેટ થશે. જેની પ્રિન્ટ લઈને સાચવી રાખવાની રહેશે.
| અદિજાતિ નિગમ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ | અહીં ક્લિક કરો |
| તબેલા લોન યોજના માટે સીધી ઓનલાઈન અરજી કરો | અહીં ક્લિક કરો |
| અહીં લોગિન કરો | અહીં ક્લિક કરો |
| અહીં નોંધણી કરો | અહીં ક્લિક કરો |
તબેલા લોન યોજના 2026 FAQs
યોજના માટે ઘણા બધા લોકોને પ્રશ્નો થતા હોય છે. તે પ્રશ્નો અને તેની સાથે સાથે તેના જવાબ પણ તમને નીચે મુજબ મળી જશે.
- આ યોજનાનો લાભ કોણ લઇ શકશે ?
ગુજરાતના મૂળ નાગરિક હોવા જોઈએ અને આદિજાતિ (ST) જ્ઞાતિના હોય તે બધા જ લોકોને આ યોજનનો લાભ મળે છે. - આ યોજના હેઠળ કેટલું ધિરાણ આપવામાં આવશે ?
લાભ લેનાર વ્યક્તિને આ તબેલા યોજના હેઠળ કુલ ₹4 લાખ ની લોન આપવામાં આવશે. - આ યોજના હેઠળ કેટલા વ્યાજદર સાથે લૉન આપવામાં આવશે ?
કોઈ વ્યક્તિને નવો ધંધો વ્યવસાય ચાલુ કરવા માટે આ ધિરાણ આપવામાં આવે છે. તે માટેનો વ્યાજદર માત્ર ને માત્ર 4% છે. - આ યોજના માટે કેટલીક આવક મર્યાદા નક્કી કરવામાં આવી છે ?
લાભ લેનાર વ્યક્તિની કુટુંબની વાર્ષિક આવક જો ગ્રામ્ય વિસ્તારમાં રહેતા હોય તો તેમની માટે ₹1,20,000 અને જો શહેરી વિસ્તારમાં રહેતા હોય તો તે વ્યક્તિ માટે ₹1,50,000 આવક ધરાવતા હોય એમને આ યોજનાનો લાભ મળશે.