ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના | Free Smartphone Scheme for Gujarat Farmer

Free Smartphone Scheme for Gujarat Farmer: આપણો ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી ઘણી બઘી યોજનાઓ શરૂ કરવામાં આવે છે. જેમાં ખેતીવાડીની યોજનાઓ, બાગાયતી યોજનાઓ, પશુપાલનની યોજનાઓ, મત્સ્યપાલનની યોજનાઓના ઓનલાઈન ફોર્મ સ્વીકારવામાં આવે છે. સરકાર ઈચ્છે છે કે ડીજીટલ સેવાનો વ્યાપ વધે માટે ખેડૂતો દ્વારા સ્માર્ટફોન ખરીદવામાં આવે તો સહાય આપવામાં આવશે.

ભારત દેશમાં અને ગુજરાતમાં કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાનો વ્યાપ ખુબજ બહોળા પ્રમાણમાં વધી રહ્યો છે. અવાર નવાર ખેડૂતો આઈ.ટી ટેકનોલોજીનો ઉપયોગ કરતો હોય છે. અને તેના થકી નવી તકનીક અપનાવી રહ્યા છે, અને તેના દ્વારા ખોડૂતો આવક વધારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ડીજીટલ ટેકનોલોજી દ્વારા ખેડૂતો હવામાન ખાતાની આગાહી, વરસાદની આગાહી, સંભવિત રોગ જીવાતના ઉપદ્વવની માહિતી, ખેતીની નવી પદ્ધતિઓ તથા ખેતીવાડી ખાતાની સહાય યોજનાઓની માહિતી મેળવી શકે છે. જેના માટે સમાર્ટફોનનો ઉપયોગ વધી રહ્યો છે. આજે આપણે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી મોબાઈલ સહાય યોજના વિશે વાત કરીશું.

મોબાઇલ સહાય યોજના ગુજરાતના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી છે. જે ખેડૂતો સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ લેવા માગતા હોય, તો તે ખેડૂતોએ ઓનલાઇન અરજી આઇ ખેડૂત પોર્ટ (Smartphone Scheme 2023) ઓફિસિયલ વેબસાઈટ પરથી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, જેની બધી જ માહિતીની આપણે વિગતવાર ચર્ચા કરીશું.

Free Smartphone Scheme for Gujarat Farmer 2023 Details


યોજનાનું નામખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના 2023
ઉદ્દેશ્યગુજરાતના ખેડૂતોને ડીજીટલાઇઝેશન કરવાનું
લાભાર્થીઓગુજરાત રાજ્યના ખેડૂતો
મળવાપાત્ર સહાયમોબાઇલની ખરીદી પર 40% સુધી સહાય જે પહેલાં 10 ટકા હતી હવે તેને 40% કરી દેવામાં આવેલી છે
કેટલીવાર સહાય મળવાપાત્ર થશેઆજીવન એક વખત
ફોર્મ ભરવાની તારીખ15-05-2023
વેબસાઈટikhedut.gujarat.gov.in

ખેડૂતો માટે સ્માર્ટફોન સહાય યોજના


ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટફોન મોબાઇલ સહાય યોજના આપવામાં આવી છે, જેના લીધે ખેડૂતો સ્માર્ટફોનનો ઉપયોગ કરીને ખેતી, ખેતી વિષયક ઘણી બધી બીજી માહિતીની આપલે કરીને, ફોટોગ્રાફી કરીને તેના દ્વારા મેલ વિડિયોની અપડેટ થઈ શકે. અને તેના કારણે ખેડૂતો પણ માહિતગાર થઇ શકે તે માટે ખેડૂત મોબાઈલ સહાય યોજના (Smartphone Scheme 2023) બનાવવામાં આવી છે.

લાભાર્થીની પાત્રતા


જે ખેડૂત ગુજરાતનો હોય અને તે અકસ્માત વીમા યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તેમને નીચે આપેલી બધી જ પાત્રતા ધરાવતા હોવા જોઈએ, તો જ તે આ યોજનાનો લાભ લેવા માટે અરજી કરી શકે છે.

  • જે વ્યક્તિ સ્માર્ટફોન સહાયની અરજી કરવા માગતો હોય, તે વ્યક્તિ ગુજરાતમાં રહેતો હોવો જોઈએ.
  • અરજી કરનાર વ્યક્તિ મૂળ ગુજરાત રાજ્યનો હોવો જોઈએ, અને તે ખેડૂત ગુજરાતમાં જમીન ધરાવતો હોવો જોઈએ.
  • જો ખેડૂત ખાતેદારને ખેડૂત ખાતેદારમાં જેટલા ખાતા દર્શાવેલ હશે તેના કરતા વધારે જો ખાતા હશે, તો તેમને સહાય એકવાર જ મળવા પાત્ર થશે.
  • જો અરજી કરનાર વ્યક્તિ સંયુક્ત ખાતા ધરાવતા હોય તો તેમાંથી ikhedut 8-A ખેડૂતોને તેમાં દર્શાવ્યા મુજબ ખાતેદાર પેકેજ સંયુક્ત પૈકી એક ને જ લાભ મળવાપાત્ર છે.
  • આ મોબાઈલ યોજના માત્ર ને માત્ર મોબાઈલની જ ખરીદી પર ઉપલબ્ધ છે મોબાઇલ ની એસેસરી જેવી કે ઈયર-ફોન, ચાર્જર, બેટરી જેવી સાધનો પણ સાથે આપવામાં આવતા નથી.

સ્માર્ટફોન સહાય યોજનાની તમામ માહિતી વિડીયો દ્વારા


ખેડૂત મોબાઈલ સહાય યોજનામાં થનારા લાભ


જે ખેડૂતો આ સહાયનો ઉપયોગ કરીને સમાર્ટફોન ખરીદવા માંગતા હોય તે વ્યક્તિએ આ યોજનામાં થનાર લાભો જાણવા ખૂબજ જરૂરી ગણાય છે, તે માટે થનારા લાભો નીચે મુજબ આપવામાં આવેલ છે.

જે ખેડૂત વ્યક્તિ ખેડૂત મોબાઈલ સહાય યોજના દ્વારા જો સ્માર્ટ ફોનની ખરીદી કરે તો તેમને સહાય આપવામાં આવે છે. ખેડૂત ખાતેદાર દ્વારા સ્માર્ટફોનની ખરીદી પર સહાય મળવાપાત્ર રહેશે જ અને તે સહાયમાં ભાગ લેવા માંગતા હોય તો રૂપિયા 15,000 સુધીના સ્માર્ટફોન ની ખરીદી પર 40 ટકા સહાય અથવા 6000 રૂપિયા. આ બંને માંથી જે ઓછું હોય તે સહાય મળવા પાત્ર રહેશે.

દાખલા તરીકે કોઈ ખેડૂત રૂપિયા 9,000 ની કિંમતમાં ફોનની ખરીદી કરે છે અને તે કિંમતના 40 ટકા મુજબ તેમને 3,600 રૂપિયા સહાય મળશે, જ્યારે લાભાર્થી ખેડૂતો દ્વારા 16,000 રૂપિયાની કિંમતમાં પણ ફોનની ખરીદી કરે છે પણ તેમના 40% લેખે 6,400 રૂપિયા થાય. નિયમ અનુસાર તો તેમને 6,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે.

જે લોકો મોબાઇલ સહાય યોજનાથી મોબાઈલની ખરીદી કરવા માંગતા હતા તેના માટે પહેલા 10% ટકા વળતર આપવામાં આવતું હતું. આજે હવે 10% થી વધારીને 40% વળતર આપવામાં આવે છે, એટલે કે 30% જેટલું વળતર આ યોજનામાં વધારી દેવામાં આવેલ છે. હવેથી આ યોજનાનો લાભ લેવા માંગે તો તેમને 40% રૂપિયા સુધીનું વળતર મળવાપાત્ર થશે.

Free Smartphone Scheme for Gujarat Farmer 2023 Documents list


જે લોકો આ યોજના એટલે કે Free Smartphone Scheme for Gujarat Farmer 2023 યોજનાનો લાભ મેળવવા માંગતા હોય તો તેમના માટે તમારે સૌ પ્રથમ આઇ ખેડૂત પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહે છે, અને તેના માટે જોઇતા અગત્યના ડોકમેન્ટ્સ નીચે મુજબ છે.

  • જે ખેડૂત ખાતાદાર ધરાવતો હોય તેની આધાર કાર્ડની નકલ.
  • અસલી બિલ જે સ્માર્ટફોન નો જીએસટી નંબર ધરાવતું હોય તે.
  • જે સ્માર્ટફોન ખરીદવાનો હોય તેની આઇએમઇઆઇ નંબર.
  • જે વ્યક્તિ ફોનની ખરીદી કરવા માગતો હોય તે ખેડૂત ના જમીનના ડોક્યુમેન્ટ ની નકલ.
  • જે ખેતી માટે 8-અ હોય છે, તેની નકલ.
  • ખેડૂતોનો રદ થયેલા ચેક ની નકલ.
  • અરજદારની બેંક ખાતાના પાસબુકની નકલ.

ફોનની ખરીદી કરવા માટેના નિયમો | Free Smartphone Scheme


ગુજરાત સરકાર દ્વારા સ્માર્ટફોન સહાય યોજનાના Smartphone Scheme 2023 બહાર પાડવામાં આવેલ છે જેનો લાભ લેવા માટે ફોનના કેટલાક નિયમો બંનાવવામાં આવેલ છે, અને જે લોકો તે નિયમનું પાલન કરશે તે વ્યક્તિ ને જ સહાય આપવામાં આવશે. જે સહાય મેળવવા માટેના નિયમો નીચે મુજબ છે.

  • સૌથી પહેલા ઇ પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરવાની રહે છે.
  • ઓનલાઈન અરજી કરી લીધા પછી તાલુકા અમલીકરણના અધિકારીશ્રી દ્વારા પૂર્વ મંજૂરી આપવામાં આવશે, અને તે તમને એસએમએસ અથવા ઈ-મેલ દ્વારા જાણ કરવામાં આવશે.
  • 15 દિવસમાં મોબાઈલની ખરીદી કરવાની રહે છે. જો તમારી મોબાઇલ સહાય યોજનામાં પસંદગી થાય, તો
  • સ્માર્ટફોન ની ખરીદી કરી લીધા પછી લાભાર્થીએ એટલે ખેડૂતે અરજી પત્રકમાં સહી કરવાની રહે છે, સહી કરેલ કાગળ ની પ્રિન્ટ કઢાવી તમારે ડોક્યુમેન્ટ સાથે જોડી ને તે ગ્રામ સેવક અથવા તાલુકાના અમલીકરણ અધિકારીશ્રી પાસે જમા કરાવવાનું રહેશે.
  • આ યોજના અમલમાં આવ્યા બાદ તેમના નિયત સમયમાં તમે જે ફોનની ખરીદી કરી છે, તે ફોનનું બિલ રજૂ કરવાનું હોય છે.

ખરીદી કરવા માટે કોણ સહાય મેળવી શકે?


સ્માર્ટફોનની ખરીદી કરવા માટે કોણ કોણ અરજી કરી શકે અને કોણ કોણ સહાય મેળવી શકે તે માટેની માહિતી નીચે મુજબ આપવામાં આવેલી છે. જે તમે જોઈ સકો છો.

ઉપર સરકાર દ્વારા આપવામાં આવેલ માહિતી પ્રમાણે ગુજરાતના રહેવાસી હોવા જોઈએ અને પોતાની જમીન ધરાવતા હોવા જોઈએ તે તમામ ખેડૂતો સ્માર્ટફોન સહાય માટે અરજી કરી શકે છે. અને સ્માર્ટફોન મેળવી શકે છે. જો તમે ફોનની ખરીદી કરવા માંગતા હોવ તો તેના માટે iKhedut પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in/) પરથી ઓનલાઇન અરજી કરવાની રહેશે. આ સહાય હેઠળ તમે જે સ્માર્ટફોનની ખરીદી કરો છો તે સ્માર્ટફોનની કિંમતના 40 ટકા સુધીની (મહત્તમ 6,000 રૂપિયા) સહાયની જાહેરાત કરવામાં આવી હતી.

Smartphone Scheme 2023 ફોર્મ ભરવા માટેની લિંકઅહીં ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો

સ્માર્ટફોન સહાય યોજના માટે અરજી કેવી રીતે કરવી?


જો ખેડૂત આ સહાય એટલે કે સ્માર્ટફોન સહાય યોજનાનો લાભ મેળળવા ઇચ્છતા હોય, તો તેના માટે તમારે આઈ ખેડૂત પોર્ટલ ની વેબસાઈટ પર જઈ ત્યાંથી તમારે અરજી કરવાની રહેશે. કેવી રીતે અરજી કરવી તેની તમામ માહિતીનો વિડિઓ ખેડૂતભાઈ યૂટ્યૂબે ચેનલ પર અપલોડ કરવામાં આવશે. તો ત્યાંથી પણ તમે તમામ યોજનાની માહિતી સૌથી પહેલા મેળવી શકો છો. તો ચેનલ ને પણ જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી લો.